ક્યાં સુધી

Ahmedabad : Tuesday, June 29, 2020.
સંસ્થા તરીકે  આદિવાસી વિસ્તારોમાં કામો શરૂ કર્યા ત્યારે આ વિસ્તારોમાં વખતો વખત જવાનું શરૂ થયું...
મિટિંગ માં ઘણી વાર અપ મૃત્યુ ના બનાવો સાંભળવા મળે. 17 -18વર્ષ થી માંડી ને 23-24 વર્ષ સુધીના યુવક યુવતીઓ નો સાથે એક જ ઝાડ પર લટકતો ફોટો લોકો બતાવે
લોકો સાથે થોડી વાત કરીએ એટલે ખ્યાલ આવે કે લોકોને તો બધું જ ખબર છે.. "કેમ કેસ ન થયો"? " બેન માં બાપ તૈયાર ન થાય.. અથવા ગામે નક્કી કર્યુ.. પતાવટ કરી નાખી..  1-2લાખ સુધી આ રકમ હોય... ...પ્રેમ કરતા હતા... એકજ ગામના થાય.. એટલે ભાઈ-બેન જ કહેવાય... એટલે મારી નાખ્યા...લોકો બધું જ કહે....
આ બધી ચર્ચા ચાલે.. ત્યારે અંદર ભયંકર ગુસ્સો ભેગો થતો જાય... કેમ આને રોકી ના શકીએ? આટલો મોટો સમાજ છે.. આટ આટલા સંતો, મહંતો... આશ્રમો... નેતાઓ, સામાજીક કાર્યકર્તાઓ... નેતાઓ... અને પોલીસ તંત્ર.. અને આખી સરકાર.. આને રોકવું શક્ય જ નથી.. એમ માનીને કેમ બેઠા છીએ આપણે બધા.. .ક્યાં સુધી?....

1 comment:

  1. બેન હુ પણ આદીવાસી છુ તમે મને કહી શકો તમે આવુ ક્યાં વિસ્તારમાં જોયું છે?

    ReplyDelete

दिल